Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

BCCI એ રોહિત અને વિરાટને ઠપકો આપ્‍યો : બન્‍ને ખેલાડીઓએ નિયમોનું પાલન ન કર્યુ, માસ્‍ક પણ નહોતા પહેર્યા, ચાહકો સાથે હાથ પણ મિલાવ્‍યા

નવી દિલ્‍હી  :  રોહિત શર્મા વિરાટ કોહલી ટીમના સૌથી સિનિયર ખેલાડી હોવાના કારણે બીસીસીઆઈને તેની પાસેથી આવી અપેક્ષા ન હતી, બંને ખેલાડીઓને જાસીસીઆઇએ ફીટકાર લગાવી છે

બંને ખેલાડીઓએ ન તો અંતરના નિયમનું પાલન કર્યું હતું કે ન તો માસ્ક પહેર્યા હતા.  બંને ખેલાડીઓ તમામ ચાહકો સાથે હાથ મિલાવતા જોવા મળ્યા હતા.  તે ચાહકોએ પણ માસ્ક પહેર્યા ન હતા.  આ જોઈને BCCIએ બંને ખેલાડીઓને ઠપકો આપ્યો કારણ કે કોરોના સંક્રમિત થવાનું જોખમ હતું.  તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડમાં અન્ય દેશોની જેમ કોરોના સંક્રમણની ગંભીર સ્થિતિ સર્જાઈ છે.

 

હવે BCCIની ચિંતા સાચી સાબિત થઈ છે, રોહિત શર્મા કોરોના સંક્રમિત થઈ ગયો છે.  ટ્વિટર પર જારી એક પ્રેસ રિલીઝમાં, BCCIએ કહ્યું છે કે 'ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા શનિવારે રેપિડ રેપિડ એન્ટિજેન ટેસ્ટમાં કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે.  તે હાલમાં ટીમ હોટલમાં આઈસોલેશનમાં છે અને બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે.  તેમની સીટી મૂલ્ય જાણવા માટે રવિવારે RT-PCR ટેસ્ટ કરવામાં આવશે.  જો તેઓ આ ટેસ્ટમાં પણ પોઝિટિવ જોવા મળે છે, તો તેઓ 1 જુલાઈથી યોજાનારી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ શકે છે.  ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઇંગ્લેન્ડ પહોંચ્યા બાદ વિરાટ કોહલીને પણ કોરોના સંક્રમિત થયો છે.

(3:03 pm IST)