Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

શ્રીલંકન બેટ્સમેનના પિતાની ક્રૂર હત્યા

હમણા જ ચૂંટણી જીતેલ : રાજકીય વેરમેટમાં ગોળીએ ફૂંકી માર્યાઃ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાંથી ધનંજયએ પોતાનું નામ પાછુ ખેંચ્યુ

કોલંબો : વિદેશ પ્રવાસ પહેલા જ શ્રીલંકાના બેટ્સમેન ધનંજય ડિસિલ્વાના તાના પિતાની અચાનક થયેલી હત્યાના કારણે વેસ્ટ ઈન્ડિસ પ્રવાસથી પોતાનું નામ પાછું ખેંચવું પડ્યું છે. શ્રીલંકાની ટીમને પ્રવાસ પર રવાના થવાનું હતું. દૂબઈ થઈને જનાર ફ્લાઈટમાં માત્ર ૧૨ કલાક જ બચ્યા હતા અને અચાનક ડિસિલ્વાના પિતાના હત્યાની જાણ થઇ  આ સમાચાર મળ્યા બાદ ડિસિલ્વા અને તેમના સાથી ખેલાડીઓ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં તેમના પિતાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર ધનંજયના પિતા રંજન ડિસિલ્વાને ગુરૂવારે સાંજે લગભગ ૮.૩૦ વાગે સાઉથ કોલંબોમાં હુમલાખોરોએ ગોળીઓ મારી દીધી હતી. તેમની હત્યા પાછળ રાજકીય કાવાદાવાઓ માનવામાં આવી રહ્યાં છે. તેમને હાલમાં જ પેટા ચૂંટણીઓમાં જીત મેળવી હતી.

   આ ઘટના પછી પણ શ્રીલંકા ક્રિકેટમાં કોઈ ફેરફારની કોઈ પ્રતિક્રિયા આવી નહતી પરંતુ  એવું માનવામાં આવી રહ્યું છે કે, ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે.

ધનંજય ડિસિલ્વાએ ભારત વિરૂદ્ઘ દિલ્હી ટેસ્ટમાં ટીમમાં વાપસી કરી હતી. ૨૬ વર્ષના ડિસિલ્વાએ આ ટેસ્ટની બીજી ઈનિંગમાં અણનમ સદી ફટકારીને ટેસ્ટને ડ્રો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ૨૬ વર્ષના ધનંજયે કુલ ૧૩ ટેસ્ટ રમી છે.(૩૭.૫)

(10:46 pm IST)