Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

ક્રિકેટરો જે શહેરમાં રમતા હોય એ શહેરમાં તેમને વોટ કરવાની છૂટ આપવી જોઈએ

અશ્વિને નરેન્દ્રભાઈને ટિવટથી વિનંતી કરી

ભારતના સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટ્વીટર પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિનંતી કરી હતી કે આઈપીએલને કારણે ક્રિકેટરો જે શહેરમાં મેચ રમતા હોય એ શહેરમાં વોટ કરવાની છૂટ આપે. અશ્વિને દરેક ભારતીયને લોકસભા ઈલેકશનમાં વોટ કરીને સાચો લીડર પસંદ કરવાની અપીલ કરી હતી. આ પહેલા વડાપ્રધાને વિવિધ જાણીતી હસ્તીઓને ટ્વીટ કરીને 'રાઈટ ટુ વોટ' માટે અપીલ કરી હતી. લોકસભા - ઈલેકશન સાત તબક્કામાં ૧૧ એપ્રિલથી ૧૯ મે સુધી યોજાશે અને મતગણતરી ૨૩ મેએ થશે.

(3:46 pm IST)