Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ભજજીની ચેતવણી સાચી પડી

વિરોધી ટીમને હળવાશથી લેવી ન જોઇએ

નવી દિલ્હીઃ હરભજનની ચેતવણી એકદમ સાચી પડી છે. મેચના થોડા સમય પહેલા સ્પિનર હરભજને કહયું કે ભારતીય ટીમે પાકિસ્તાની ટીમને હળવાશથી ન લેવી જોઈએ. કારણ કે પાકિસ્તાન ટીમ ગમે તેની હરાવી શકવાની તાકાત ધરાવે છે.  

હરભજને સ્પોર્ટ્સવોર્મના વર્લ્ડ કપ શોમાં કહ્યું હતું. પાક.ટીમ કોઈને પણ હરાવી શકે છે. હું બંને ટીમોની તુલના નહીં કરું કારણ કે તે બંને અલગ રીતે રમે છે. મને નથી લાગતું કે આપણે અગાઉના રેકોર્ડ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કારણ કે બંને ટીમો એકબીજા સામે વધુ ક્રિકેટ રમી નથી. આંકડા ત્યારે મહત્વના છે જ્યારે ટીમો એકબીજા સામે ઘણી ક્રિકેટ રમી છે અને એક ઘણી મેચો જીતી છે. કાગળ પર અમારી ટીમને જોતા કહી શકાય કે આપણે પાકિસ્તાનને સરળતાથી હરાવી દેવું જોઈએ, પરંતુ આ બધું મેદાન પર ઉતાર્યા પછી તમે કેવી રીતે રમો છો તેના પર આધાર રાખે છે.

(3:37 pm IST)