Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

શ્રીલંકાની ક્રિકેટ ટીમનો ભારતના પ્રવાસની જાહેરાત: ત્રણ ટી -20 મેચની રમશે સિરીઝ

પ્રથમ મેચ 5મી જાન્યુઆરીએ ગૌહાત્તીમાં રમાશે

ભારત આવતા વર્ષે જાન્યુઆરીમાં શ્રીલંકા ક્રિકેટ ટીમનું યજમાન બનશે. બંને દેશો વચ્ચે ત્રણ મેચની ટી -20 સિરીઝ રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ  એક નિવેદનમાં  આ અંગે માહિતી આપી છે.

    બીસીસીઆઇએ એક નિવેદનમાં કહ્યું કે, આઈસીસીએ ઝિમ્બાબ્વેને સસ્પેન્ડ કર્યા પછી, બીસીસીઆઈએ શ્રીલંકાને ત્રણ ટી -20 મેચની શ્રેણી રમવાનું આમંત્રણ આપ્યું છે. શ્રીલંકન ક્રિકેટે આ આમંત્રણ સ્વીકાર્યું છે.

બંને દેશો વચ્ચે પ્રથમ મેચ 5 જાન્યુઆરીએ ગુહાહાટીમાં યોજાશે. આ પછી, બંને ટીમો 7 જાન્યુઆરીએ ઇન્દોરમાં રમશે. શ્રેણીની છેલ્લી મેચ 10 જાન્યુઆરીએ પુણેમાં રમાશે.

કાર્યક્રમ- 1) 5 જાન્યુઆરી - પ્રથમ ટી-20, ગુવાહાટી 2) 7 જાન્યુઆરી- બીજી ટી-20 ઈન્દોર 3) 10 જાન્યુઆરી- ત્રીજી ટી-20 પુણેમાં રમાશે 

(8:37 pm IST)