Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

નિપાહ વાઇરસના લીધે નિશાનેબાજી સ્પર્ધા હવે દિલ્હીમાં

નવી દિલ્હી: કેરળમાં નિપાહ વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી રાષ્ટ્રીય નિશાનેબાજી મહાસંઘએ 18મી કુમાર સુરેન્દ્ર સિંહ સ્મુતિ ચેમ્પિયનશિપની તિરુવંતપરૂમના બદલે દિલ્હીમાં આયોજન કરવાનો નિર્ણય લીધો છે. રાઇફલ અને પિસ્ટલ નિશાનેબાજો માટે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ અને ટ્રાયલ્સ 31 મેં થી 18 સુધી તિરુવંતપરૂમ ખાતે યોજાવવાના હતા. પરંતુ હવે આયોજન દેશની રાજધાની દિલ્હી ખાતે ડો.કરની સિંહ શુટિંફા રેન્જમાં જૂનના બીજા અઠવાડિયામાં ચાલુ થશે. સિનિયર અને જુનિયર અને યુવા(મહિલા તથા પુરુષ) માટે રાષ્ટીય ટ્રાયલ્સ 7 થી 17 જૂન સુધી યોજાશે.

(4:50 pm IST)