Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

વિઝાગ વન-ડે : ભારત ટોસ જીતી દાવમાં: ૬૮/૨, ૧૩.૩ ઓવર

વિઝાગઃ ભારત- ઈન્ડીઝ વચ્ચેની પાંચ વન-ડેની શ્રેણીનો બીજો મેચ આજે વિઝાગ ખાતે રમાઈ રહયો છે. ટીમે ઈન્ડીયાએ આજે ટોસ જીતતા કેપ્ટન વિરાટ કોહલીએ પહેલા બેટીંગ લેવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડીયાએ આજે ખલીલ અહેમદના સ્થાને કુલદીપ યાદવને પ્લેયીંગ ઈલેવનમાં સ્થાન આપ્યું છે.

પહેલા મેચનો હિરો રોહીત શર્મા બીજા વન- ડેમાં સસ્તામાં ઉડયો હતો. રોહીત ૮ બોલમાં ૪ રન બનાવી રોન્ચનો શિકાર થયો હતો. જયારે ઓપનર શીખર ધવન પણ ૨૯ રન બનાવી નર્સની ઓવરમાં એલબી થયો હતો. આમ ટીમ ઈન્ડીયાએ ૯.૪ ઓવરમાં ૨ વિકેટના ભોગે ૪૮ રન બનાવ્યા છે. કેપ્ટન કોહલી ૧૨ અને અંબાતી રાયડુ ૨ રને દાવમાં છે. વેસ્ટ ઈન્ડીઝ વતી રોન્ચ અને એસલે નર્સે ૧-૧ વિકેટ ઝડપી હતી.(૩૦.૧૦)

 

(3:38 pm IST)