Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

રોહિતના આ નિર્ણયથી થયો ભારતીય ટીમને ફાયદો

નવી દિલ્હી:પાકિસ્તાન વિરુદ્ધ રવિવારે રમાયેલી મેચમાં ટીમ ઇન્ડિયાએ જે જીત મેળવી છે તેમાં જસપ્રીત બુમરાહનું યોગદાન ખૂબ મહત્ત્વનું રહ્યું હતું. પાકિસ્તાનની ઇનિંગ દરમિયાન શોએબ મલિક ખૂબ લયમાં નજર આવી રહ્યો હતો. શોએબ મલિકની વિકેટ ભારત માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ. શોએબ મલિકને ભારતના ડેથ ઓવર સ્પેશિયલિસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પવેલિયન ભેગો કર્યો હતો.

શોએબ મલિકે 90 બોલમાં 78 રનની ઇનિંગ રમી હતી જેમાં ચાર બાઉન્ડ્રી અને બે સિક્સર શામેલ હતા. જો મલિક વધુ સમય પીચ પર ટકી જતે તો પાકિસ્તાનનો સ્કોર વધુ થયો હોત. પણ મલિકના આઉટ થયા પછી પાકિસ્તાન માત્ર 26 રન ઉમેરી શક્યું હતું. બુમરાહે ડેથ ઓવરમાં ખૂબ શાનદાર બોલિંગમુ પ્રદર્શન કરીને પાકિસ્તાનને રન કરતા અટકાવ્યું હતું.

(6:32 pm IST)