Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

જેટલીને શ્રધ્ધાજલી પાઠવતા કોહલી,ગંભીર,આકાશ ચોપડા, સહેવાગ સહીતના ક્રિકેટરો

પુર્વનાણામંત્રી અરુણ જેટલીનું આજે ૬૬ વર્ષની વયે નિધન થતા ભરતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી,પુર્વ ક્રિકેટર  અને સંસદ ગૌતમ ગંભીર,વીરેંદ્ર સહેવાગ અને આકાશ કોપરએ  ટ્વીટ કરી શ્રધ્ધાજલી પાઠવી હતી.

કેપ્ટન વિરાટ કોહલી એ ટ્વીટમા જણાવેલ  કે અરુણ જેટલીજીના નિધનના સમાચારથી દુખી છુ.તેઓ સારા વ્યક્તિ હતા.અને હમેશા બિજાને મદદ કરતા.૨૦૦૬માં જ્યારે મારા પિતાનું આવસાન થયેલ ત્યારે તેઓ મરી ઘરે શ્રધ્ધાજલી આપવા આવેલ.ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

પુર્વ ક્રિકેટર અને ભાજપના સંસદ ગૌતમ ગંભીરે ટ્વીટમા જણાવેલ  કે પિતા તમને બોલતા શિખવાડે છે પણ પિતાતુલ્ય વ્યક્તિ તમને  વાતચિત કરતા આગણ વધતા અને  તમારી ઓળખાણ કરાવે છે.મારા પિતાતુલ્ય અરુણ જેટલીજીના નિધનથી મારો એક ભાગ તેમની સાથે ચાલ્યો ગયો.

 સહેવાગે જણાવેલ કે  હું ખુબ દુખી છું.જાહેર જીવનમા તેમણે ખુબ સેવા કરી અને દિલ્હીના કેટલાય ખેલાડીઓના જીવનમાં મોટી ભુમીકા નિભાવી અને દેશનું પ્રતીનીધીત્વ કરવાની તક આપિ હતી.તેઓ ખેલાડીની જરૂરતને સમજતા અને  સમસ્યાનું નિરાકણ કરતા.

(7:17 pm IST)