Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

સફળતાનું શ્રેય ડ્રેસીંગ રૂમના માહોલને આપે છે કેપ્ટન ધોની

આઈપીએલની ૧૧મી સીઝનની ફાઈનલમાં પહોંચેલી ચેન્નઈની ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સફળતા માટેનો શ્રેય ડ્રેસીંગ રૂમના માહોલને આપ્યો છે. તેણે કહ્યું હતું કે 'અમારી ટીમના ડ્રેસીંગ રૂમનો માહોલ ખરેખર સારો હોય છે અને એ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સહકાર વિના સંભવ નથી. જો માહોલ સારો ન હોય તો ખેલાડી એક દિશામાં વિચારી શકે નહિં, અમે આ કરી શકયા છીએ. જીત હંમેશા સુખદ હોય છે.

(1:04 pm IST)