Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

મિથાલી, હરમનપ્રીત અને મંધાના કરશે ટી-૨૦ એકિઝબિશન મેચોમાં કેપ્ટન્સી

લંડન : દેશમાં વિમેન્સ ટી-૨૦ ક્રિકેટની પોપ્યુલરિટી વધારવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ જયપુરમાં આઇપીએલ સ્ટાઇલની ૪ વિમેન્સ ટી-૨૦ એકિઝબિશન મેચોનું આયોજન કર્યું છે જેમાં સુપરનોવાઝ ટીમની કેપ્ટન્સી મિથાલી રાજ, ટ્રાયલબ્લેઝર્સ ટીમની કેપ્ટન્સી હરમનપ્રીત કૌર અને વેલોસિટી ટીમની કેપ્ટન્સી સ્મૃતિ મંધાના કરશે.

૬, ૮ અને ૯ મેએ રાઉન્ડ-રોબિન લીગની મેચો અને ફાઇનલ ૧૧ મેએ રમાશે. ગયા વર્ષે વાનખેડે સ્ટેડિયમમાં પુરુષોની પહેલી કવોલિફાયર મેચ પહેલાં સુપરનોવાઝ અને ટ્રાયલબ્લેઝર્સ ટીમ વચ્ચે એકમાત્ર ટી-૨૦ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેને જબરદસ્ત સફળતા મળી હતી. છેલ્લા બોલમાં સુપરનોવાઝે ૩ વિકેટથી રોમાંચક જીત મેળવી હતી.

(4:03 pm IST)