Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

સેહવાગે ખોલ્યું રહસ્ય, કેમ ગેઈલને IPLની હરાજીમાં છેલ્લે ખરીદ્યો?

હૈદરાબાદ સામે સદી ફટકાર્યા બાદ ક્રિસ ગેઈલે પોતાની સફળતાનું શ્રેય પંજાબના મેન્ટર વીરેન્દર સેહવાગને આપતાં કહ્યું હતું કે છેલ્લા મને ખરીદીને સેહવાગે આઈપીએલને બચાવી લીધી છે. દરમ્યાન સેહવાગે કહ્યું હતું કે જો અમે પહેલાં ગેઈલ પર બોલી લગાવત તો તે મોંઘો થઈ જાત. ગેઈલ પીઠના દુખાવાને કારણે પરેશાન હતો અને એને કારણે તે ઘણી મેચ નહોતો રમ્યો. વિરાટ કોહલીને પણ ઉત્સાહ ન હોતો, કારણ કે તે રન નહોતી બનાવી શકતો. બહુ ઓછા લોકો હતા જે તેને ખરીદવા માગતા હતા. પંજાબને હાલમાં ટોચ પર પહોંચાડવામાં ગેઈલનો બહુ મોટો ફાળો છે.

(3:46 pm IST)