Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

શ્રેયસ ઐયર અને રોહિતને ઈજા

 ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં ફીલ્ડિંગ દરમ્યાન ગઈ કાલે બૅટ્સમૅન શ્રેયસ ઐયરને ડાબા ખભામાં ઈજા થઈ હતી જેના લીધે તેને મેદાનની બહાર લઈ જવાયો હતો. ઇનિંગ્સની આઠમી ઓવર નાખવા આવેલા શાર્દુલ ઠાકુરના બૉલ પર જૉની બેરસ્ટૉએ ફટકારેલા શૉટને ડાઇવ લગાવી અટકાવવા જતાં શ્રેયસ ઈજા પામ્યો હતો. મેદાન પરથી તેને સ્કૅનિંગ માટે લઈ જવામાં આવ્યો હતો. ઈજાને લીધે શ્રેયસ શેષ રહેલી બે વન-ડેમાં સંભવતૅં ભાગ નહીં લઈ શકે. બૅટિંગ દરમ્યાન રોહિત શર્માને પણ જમણી કોણીમાં ઈજા થઈ હતી જેને લીધે તે ફીલ્ડિંગ માટે નહોતો આવ્યો. નોંધનીય છે કે ઐયર ઇન્જર્ડ થવાને લીધે આઇપીએલની દિલ્હી કૅપિટલ્સની ચિંતા વધી છે.

(4:08 pm IST)