Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

અંતિમ હરોળના બેટ્સમેનોએ ભાગીદારી કરતા અમે મેચમાંથી બહાર થઈ ગયા : વિરાટ

પૃથ્વી નેચરલ સ્ટ્રોકમેકર : બીજા ટેસ્ટ મેચમાં કમબેક કરીશુ

વેલીંગ્ટન : પ્રથમ ટેસ્ટ મેચમાં કારમા પરાજય બાદ ટીમ ઈન્ડિયાના સુકાની વિરાટ કોહલીએ કહ્યુ કે અમે આ મેચમાં બિલકુલ લડત આપી શકયા નહીં. અમે જો કીવીની ટીમ સામે ૨૨૦-૨૩૦ રનનો લક્ષ્ય રાખ્યો હોત તો પરિણામ કદાચ અલગ આવ્યુ હોત. કોહલીએ કહ્યુ કે બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પ્રદર્શન સારૂ કરશે.

વિરાટ કોહલીએ કહ્યુ કે બોલીંગ યુનિટ દ્વારા સારૂ પ્રદર્શન કરવામાં આવ્યુ છે. ન્યુઝીલેન્ડની ટીમના અંતિમ ત્રણ બેટસમેનોએ ૧૨૦ રન જોડયા જેનાથી અમે મેચમાંથી બહાર થઈ ગયા. કોહલીએ યુવા ઓપનર પૃથ્વી શોનો બચાવ કરતાં કહ્યું કે, પૃથ્વી નેચરલ સ્ટ્રોકમેકર છે. જલ્દી જ રન બનવાનો રસ્તો શોધી લેશે.

(1:31 pm IST)