Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ઇન્‍ડિયા-શ્રીલંકા ત્રીજી વન-ડે

ટોસ જીતી ભારતે પ્રથમ બેટીંગ પસંદ કરી : વરસાદના અવરોધ બાદ મેચ ફરી શરૂઃ ભારતે પાંચમી વિકેટ ગુમાવી

નવી દિલ્હી : ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે ત્રીજી વનડે મેચ કોલંબોના પ્રેમાદાસા મેદાન પર રમાઇ રહી છે. ટોસ પુરો થયો. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાએ ત્રીજી વનડેમાં 6 ફેરફાર કર્યા છે, જેમાં 5 નવોદિતોને તક મળી છે. ટીમ ઈન્ડિયાએ 3 વનડે શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. જો પ્રથમ વનડેમાં જબરદસ્ત વિજય મેળવ્યો હતો, તો તેણે બીજી વનડેમાં સંઘર્ષ કર્યો હતો.

હવે આજે બંને ટીમો વચ્ચે ત્રીજી અને શ્રેણીની અંતિમ વનડે છે. ભારતની નજર આજે ક્લીન સ્વીપ પર છે, તો શ્રીલંકાની જીતની આબરુ બચાવવા પર છે. આ સ્થિતિમાં, એ પણ સ્પષ્ટ છે કે સ્પર્ધા જોરદાર રહશે અને રોમાંચ ચરમસીમા પર હશે.

ભારતના પ્લેઇંગ ઇલેવનઃ શિખર ધવન, પૃથ્વી શો, ચેતન સાકરીયા, કૃષ્ણપ્પા ગૌતમ, નીતીશ રાણા, રાહુલ ચહર, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નવદીપ સૈની

(8:57 pm IST)