Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

હૈદ્રાબાદની કેપ્ટન્સી સંભાળશે ભુવનેશ્વર?

વિલિયમ્સનની ઈજાને કારણે આઈપીએલના કેપ્ટનોના ફોટોશૂટમાં હાજરી આપતા શરૂ થઈ અટકળો

આઈપીએલના કેપ્ટનોના ફોટોશૂટ દરમ્યાન ભુવનેશ્વર કુમારે હૈદરાબાદના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી. કલકત્ત્।ા સામે રમાનારી હૈદરાબાદની પહેલી મેચમાં તે ટીમનું નેતૃત્વ સંભાળે એવી શકયતા છે. ગયા વખતે ડેવિડ વોર્નરની ગેરહાજરીને કારણે કેપ્ટન્સી સંભાળનાર કેન વિલિયમસન બંગલા દેશ સામેની બીજી ટેસ્ટ દરમ્યાન ઈજાગ્રસ્ત થયો હતો.

સ્કેનના રિપોર્ટ મુજબ તેના ખભાના સ્નાયુમાં ઈજા થઈ છે. ક્રાઇસ્ટચર્ચની મસ્જિદમાં થયેલા હુમલાને કારણે ત્રીજી ટેસ્ટ રદ થતાં વિલિયમસનની ફિટનેસ-ટેસ્ટ શકય થઈ નહોતી. પરિણામે વિવિધ અટકળો શરૂ થઈ છે. ભુવનેશ્વર કયારેય આઈપીએલનો કેપ્ટન બન્યો નથી. જો ઈજાને કારણે હૈદરાબાદનો કેપ્ટન વિલિયમસન ન આવે તો કદાચ પહેલી વખત આઈપીએલમાં તમામ કેપ્ટન ભારતીય હોય એવું બની શકે.

(3:38 pm IST)