Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

પાકિસ્તાન સાથે મેચ રમવાની તરફેણ કરતા સચિન તેંડુલકર થયો ટ્રોલ

સચિને કહ્યું ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હેંમેશા હરાવ્યું છે. તેમને ફરી એક વખત હરાવવાનો સમય છે.

મુંબઈ :જમ્મુ-કાશ્મીરના પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના તણાવભર્યા સંબંધોને કારણે સચિન તેંડુલકર ટ્રોલર્સના નિશાના ઉપર આવી ગયા છે.

સચિને શુક્રવારે કહ્યું હતું કે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મૅચ થવી જોઈએ, જેથી ભારત પાકિસ્તાનને હરાવી શકે.

તેમણે કહ્યું કે તેમને વ્યક્તિગત રીતે બહુ ખરાબ લાગશે અને ભારત સાથે ન રમવાને કારણે પાકિસ્તાનને બે પૉઇન્ટ્સ મળી જશે.

તેમણે કહ્યું, "ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હેંમેશા હરાવ્યું છે. તેમને ફરી એક વખત હરાવવાનો સમય છે."

સચિને એવું પણ કહ્યું કે તેમના માટે ભારત સૌથી ઉપર છે તેથી દેશ જે નક્કી કરશે તેને તેઓ સ્વીકારશે

 

(12:20 pm IST)