Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

કાલથી ફરી મહાસંગ્રામ : ટીમ ઈન્ડિયા વિદેશની ધરતી ઉપર જીત મેળવવા સજ્જ

કાલે ભારત - ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી-૨૦ : બપોરે ૧૨:૨૦ થી મુકાબલો

નવી દિલ્હી : ભારતની ધરતી ઉપર ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા, બાંગ્લાદેશ, વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા જેવી ધરખમ ટીમોને પછાડી સીરીઝમાં મહાવિજય મેળવ્યો છે. હવે ભારતીય ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. પાંચ ટી-૨૦, ત્રણ વન-ડે અને બે ટેસ્ટ મેચો રમનાર છે.

દરમિયાન આવતીકાલે ૨૪મીના બપોરે ૧૨:૨૦ વાગ્યાથી પ્રથમ ટી-૨૦ જંગ શરૂ થનાર છે. ભારત ઘરઆંગણાથી જેમ વિદેશની ધરતી ઉપર જંગ જીતવા સજ્જ છે.

બેંગ્લુરૂમાં ઘરઆંગણે સીરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ન્યુઝીલેન્ડ જવા રવાના થઈ ગયા હતા. ત્યાના વાતાવરણમાં સેટ થવા માટે ખેલાડીઓએ આરામ કરવાના બદલે ન્યુઝીલેન્ડ રવાના થઇ ગયા હતા.

ભારતીય ટીમ આ મુજબ છે. વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વા. કેપ્ટન), જશપ્રીત બુમરાહ, યજુવેન્દ્ર ચહલ, શિવમ દુબે, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, કેદાર જાદવ, મનીષ પાંડે, રીષભ પંત, પૃથ્વી શો, લોકેશ રાહુલ, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર કુલદીપ યાદવ.

(12:47 pm IST)