Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

ચેન્નાઇ સુપર કિંગ્સે આ ત્રણ દિગ્ગ્જ ખેલાડીઓ સાથે કર્યો કરાર

નવી દિલ્હી: આઈપીએલની આગામી સીઝન માટે ચેન્નાઇ સુપર કિંગ્સે પોતાની ટીમમાં દિગ્ગ્જ ત્રણ ખેલાડીઓ સાથે કરાર કર્યાની જાહેરાત કરી છે. સીએસકેના એક અધિકારીએ કહ્યું કેઅમે પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના,અને રવિન્દ્ર જાડેજા સાથે આગામી સીઝન માટે કરાર કર્યો છે. અને આ માટેની સૂચના પણ બીસીસીઆઈને આપી દેવામાં આવી છે.

નિયમ મુજબ જો કોઈ ટીમ ખેલાડીઓને રિપીટ કરવામાં માંગતી હોઈ તો તે ત્રણ ખેલાડીઓની તેઓને સત્તા છે. જેમાં પહેલા ખેલાડીને 15 કરોડ, બીજાને 11 કરોડ અને ત્રીજા ખેલાડીને 7 કરોડ ચૂકવે છે.

(7:28 pm IST)