Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ડેથ ઓવરોમાં બોલીંગની માથાકૂટઃ કાલે નાગપુરમાં સાંજે ૭ વાગ્‍યાથી બીજો મુકાબલો

ટીમ ઇન્‍ડિયાએ સિરિઝ બચાવવા મેચ જીતવો જ પડશેઃ ટીમમાં ફેરફાર

નવી દિલ્‍હી : ટી૨૦ એશિયા કપમાં અને હવે ઓસ્‍ટ્રેલિયા સામેની ટી૨૦ સિરિઝમાં ભારતને ડેથ બોલિંગનો મામલો સૌથી વધુ નડી રહ્યો છે. છેલ્લી ત્રણ મેચમાં ૧૯મી ઓવરમાં ૧૯, ૧૪,૧૬, રન આપી ચૂકેલો ભૂવનેશ્વરકુમાર  થોડા વર્ષો પહેલા ડેથ બોલિંગ માટેનો સ્‍પેશ્‍યાલિસ્‍ટ ગણાતો હતો, પરંતુ આઇપીએલ બાદ એશિયા કપમાં તેણે અનેક ચાહકોની આશા પર પાણી ફેરવી દીધુ.

ભુવનેશ્વરની ૧૯મી ઓવરમાં ૧૬ રન બન્‍યા બાદ ૨૦મી ઓવર ચહલને આપવી પડી હતી, જેના પ્રથમ બોલમાં ડેવિડની વિકેટ પડયા બાદ બીજા બોલમાં કમિન્‍સે વિનિંગ ફોર ફટકારી હતી.

બીજી ટી૨૦ શુક્રવારે (આવતી કાલે  નાગપુરમાં સાંજે ૭ વાગ્‍યાથી રમાશે. ટીમમાં ફેરફારો જોવા મળશે.

(11:41 am IST)