Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

યોગેશ્વર દત્તની સલાહને પગલે પુનિયા કદાચ કોર્ટમાં નહિં જાય

રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે પસંદગી ન પામતાં નારાજ થયેલો પહેલવાન બજરંગ પુનિયા તેના નિર્ણયમાંથી પીછેહઠ કરે એવી સંભાવના છે. પુનિયાએ તેને અવોડ ન મળવા માટેનું કારણ જાણવા સ્પોર્ટ્સ મિનિસ્ટરને મળવાનો અને સંતોષકારક જવાબ ન મળે તો કોર્ટમાં જવાનો નિર્ણય ગઈ કાલે પત્રકારપરિષદમાં જાહેર કર્યો હતો. જોકે તેના ગુરુ યોગેશ્વર દત્ત્।ે તેને આ તમામ બાબતોથી દૂર રહી પોતાની આગામી મહિને થનારી વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારીઓ પર ધ્યાન આપવા જણાવ્યું હતું.

ખેલકૂદમાં દેશમાં સર્વોચ્ચ માનવામાં આવતા સન્માન માટે પસંદગી ન પામેલો પુનિયા ગુરુવારે સ્પોટ્સ મિનિસ્ટરને મળ્યો હતો. સ્પોટ્સ મિનિસ્ટરે પુનિયાને તેના કેસ પર વિચારણા કરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું.

(3:29 pm IST)