Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

પાકિસ્તાની હોકી ટીમના કેપ્ટન રિઝવાનએ કહ્યું ,,ભારતમાં મેચ નહીં, દિલ પણ જીતશુ

હોકી વિશ્વ કપ ભુવનેશ્વરમાં 28 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી રમાવાનો છે. પાકિસ્તાની હોકી ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાન સીનિયરે કહ્યું કે, તેની ટીમ આ વખતે મેચ નહીં પરંતુ દિલ જીતવાના ઈરાદા સાથે પણ રમશે.પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી-2004 બાદ પ્રથમવાર ભારતમાં કોઈ હોકી ટૂર્નામેન્ટ રમશે. ભારત 2010માં હોકી વિશ્વકપની યજમાની કરી ચુક્યું છે.

  રિઝવાને લાહોરથી એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, જે ચાર વર્ષ પહેલા થયું,તે ન થવું જોઈએ. ચાર વર્ષ પહેલા ભુવનેશ્વરમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓએ દર્શકોને અભદ્ર ઈશારા કર્યા હતા. ત્યારબાદ બંન્ને દેશોના દ્વિપક્ષીય હોકી સંબંધોમાં ખટાસ આવી હતી.ત્યારે કેટલાક ખેલાડીઓ ભાવનાઓમાં વહી ગયા પરંતુ આ પૂર્વ નિયોજીત ન હતું. આ વખતે અમે ટીમને કહ્યું કે, દર્શકો તરફ ધ્યાન આપવાનું નથી.

(11:20 pm IST)