Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ખેલ રત્ન માટે પસંદગી ના પામતા પુનિયા નારાજ:કહ્યું,,,સરકાર જવાબ નહિ આપે હું તો કોર્ટમાં જઈશ

નવી દિલ્હી :ખેલ રત્નમાં પસંદગીને લઈ નવો વિવાદ ઉભો થયો છે. એશિયાડ અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારા પહેલવાન બજરંગ પુનિયાને ખેલ રત્ન માટે પસંદ ના કરાતા તેઓ નારાજ થયા છે.

   તેમણે આ મામલે કેન્દ્રીય ખેલ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ સાથે મુલાકાત કરી હતી. તેમજ પોતાનો પક્ષ રાખતા કહ્યુ કે, જો શુક્રવાર સાંજ સુધી સરકાર જવાબ નહિ આપે તો, હું કોર્ટમાં જઈશ

(6:04 pm IST)