Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

વિન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર : કોહલી કેપ્ટન, પંત સામેલ

ટેસ્ટમાં રિદ્ધિમાન સહાની સાથે પંતનો પણ સમાવેશ કરાયો : એમએસકે પ્રસાદના નેતૃત્વમાં પ સભ્યોની પસંદગી સમિતિની બેઠકમાં નિર્ણય થયો : વનડે મેચ અને ટી-૨૦માં જસપ્રિત બુમરાહ-હાર્દિક પંડ્યા રમશે નહીં

મુંબઈ, તા. ૨૧ : વેસ્ટઇન્ડિઝના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની આજે જાહેરાત કરી દેવામાં આવી હતી. આની સાથે જ ટેસ્ટ, વનડે અને ટ્વેન્ટી મેચોમાં અલગ કેપ્ટન રાખવાને લઇને ચાલી રહેલી ચર્ચાનો પણ અંત આવી ગયો છે. ટ્વેન્ટી, વનડે અને  ટેસ્ટ શ્રેણીમાં કેપ્ટન તરીકેની ભૂમિકામાં વિરાટ કોહલી જ રહેશે. વિરાટ કોહલીને આરામ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જ્યારે ટેસ્ટ મેચમાં રિદ્ધિમાન સાહાની સાથે રિષભ પંતને વિકેટકીપર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ એક દિવસ પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે, તે વેસ્ટઇન્ડિઝના પ્રવાસમાં ઉપલબ્ધ રહેશે નહીં. વિરાટ કોહલીને આરામ આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો નથી. એમએસકે પ્રસાદના નેતૃત્વમાં પાંચ સભ્યોની પસંદગી સમિતિની બેઠક આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાઈ હતી જેમાં કેપ્ટન વિરાટ કોહલીએ પણ હાજરી આપી હતી. પૂર્વ કેપ્ટન એમએસ ધોની ઉપરાંત વનડે અને ટ્વેન્ટી શ્રેણીમાં જસપ્રિત બુમરાહ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ આરામ આપવામાં આવ્યો છે. આ બંને ખેલાડી લાંબા સમયથી સતત રમી રહ્યા હતા. ટેસ્ટ ટીમમાં શિખર ધવનનો સમાવેશ કરવામાં આવ્યો નથી પરંતુ વનડે ટીમમાં શિખર ધવનની વાપસી થઇ છે. વર્લ્ડકપ દરમિયાન શિખર ધવન ઘાયલ થયો હતો. બુમરાહને ટેસ્ટ ટીમમાં તક મળી નથી. ચેતેશ્વર પુજારા અને હનુમા વિહારીને ટેસ્ટ ટીમમાં તક આપવામાં આવી છે. ટેસ્ટ ટીમમાં રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની વાપસી થઇ છે. ભારતીય ટીમ વેસ્ટઇન્ડિઝના પ્રવાસની શરૂઆત ત્રીજી ઓગસ્ટથી કરશે. ટીમ ઇન્ડિયા આ પ્રવાસ દરમિયાન બે ટેસ્ટ મેચ, ત્રણ વનડે મેચો અને ત્રણ ટ્વેન્ટી મેચો રમશે. પ્રથમ ટેસ્ટ મેચ ૨૨મી ઓગસ્ટથી વિવિયન રિસર્ડ્સ ગ્રાઉન્ડ ખાતે રમાશે જ્યારે બીજી ટેસ્ટ મેચ ૩૦મી ઓગસ્ટથી સબીના પાર્ક જમૈકા ખાતે રમાશે. ટેસ્ટ ટીમમાં મયંક અગ્રવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમમાં બે વિકેટકીપર રાખવામાં આવ્યા છે. જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. ટેસ્ટ ટીમમાં પણ જુદા અને વનડે ટીમમાં જુદા કેપ્ટનને લઇને હિલચાલ ચાલી રહી હતી.

હાલમાં જ પૂર્ણ થયેલા વર્લ્ડકપમાં પાંચ સદી ફટકારનાર રોહિત શર્માની ટેસ્ટ મેચ માટે પણ પસંદગી કરવામાં આવી છે જ્યારે વનડે ટીમમાં શ્રેયસ અય્યર, મનિષ પાંડે અને નવદીપ સૈની તેમજ ખલીલ અહેમદનો સમાવેશ કરાયો છે. લાંબા સમય સુધી બહાર રહ્યા બાદ ટેસ્ટ ટીમમાં વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સહાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સહાએ હાલમાં જ સર્જરી કરાવી હતી. ૨૦૧૮ આઈપીએલ દરમિયાન ઇજા થયા બાદ તે ટીમમાંથી બહાર હતો. જાન્યુઆરી ૨૦૧૮માં આફ્રિકા સામે તે છેલ્લી વખત રમ્યો હતો. ટ્વેન્ટી ટીમમાં એકમાત્ર લેગસ્પીનર રાહુલ ચહર નવા ચહેરા તરીકે છે. આઈપીએલમાં શાનદાર દેખાવના કારણે તેની પસંદગી કરવામાં આવી છે. બીજી બાજુ અન્ય તમામ ખેલાડીઓને લઇને વ્યાપક વિચારણા થઇ હતી. વર્લ્ડકપ બાદ ભારત પ્રથમ વખત દ્વિપક્ષીય શ્રેણી રમનાર છે. વર્લ્ડકપમાં સૌથી હોટફેવરિટ ટીમ હોવા છતાં ભારતીય ટીમની ન્યુઝીલેન્ડ સામે સેમિફાઇનલમાં ૧૮ રને હાર થઇ હતી જેના કારણે કરોડો ક્રિકેટ ચાહકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું.

ભારતીય ક્રિકેટ ટીમ....

ટેસ્ટ, વનડે, ટ્વેન્ટી ટીમ જાહેર

મુંબઈ, તા. ૨૧ : વેસ્ટઇન્ડિઝના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની આજે જાહેરાત કરી દેવામાં આવી હતી. આની સાથે જ ટેસ્ટ, વનડે અને ટ્વેન્ટી મેચોમાં અલગ કેપ્ટન રાખવાને લઇને ચાલી રહેલી ચર્ચાનો પણ અંત આવી ગયો છે. ટ્વેન્ટી, વનડે અને  ટેસ્ટ શ્રેણીમાં કેપ્ટન તરીકેની ભૂમિકામાં વિરાટ કોહલી જ રહેશે. ભારતીય ટીમની આજે જાહેરાત કરવામાં આવી હતી. ભારતની બે ટેસ્ટ મેચો, ત્રણ વનડે મેચો અને ત્રણ ટ્વેન્ટી મેચો માટેની ટીમ નીચે મુજબ છે.

બે ટેસ્ટ માટે ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રહાણે, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, પુજારા, હનુમા વિહારી, રોહિત શર્મા, રિષભ પંત, સહા, અશ્વિન, જાડેજા, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ સામી, બુમરાહ અને ઉમેશ યાદવ

ત્રણ વનડે માટે ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર, કેદાર જાધવ, મોહમ્મદ સામી, ભુવનેશ્વર, ખલીલ અહેમદ, નવદીપ સૈની

ત્રણ ટ્વેન્ટી મેચ માટે ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, રિષભ પંત, કૃણાલ પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ભુવનેશ્વરકુમાર, ખલીલ અહેમદ, દીપક ચહર, નવદીપ સૈની

શ્રેણીનો વિસ્તૃત કાર્યક્રમ

પ્રવાસની શરૂઆત ત્રીજીથી થશે

મુંબઈ, તા. ૨૧ : વેસ્ટઇન્ડિઝના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની આજે જાહેરાત કરી દેવામાં આવી હતી. આની સાથે જ ટેસ્ટ, વનડે અને ટ્વેન્ટી મેચોમાં અલગ કેપ્ટન રાખવાને લઇને ચાલી રહેલી ચર્ચાનો પણ અંત આવી ગયો છે. ટ્વેન્ટી, વનડે અને  ટેસ્ટ શ્રેણીમાં કેપ્ટન તરીકેની ભૂમિકામાં વિરાટ કોહલી જ રહેશે. ભારતીય ટીમની આજે જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય ટીમ વેસ્ટઇન્ડિઝના પ્રવાસની શરૂઆત બીજી ઓગસ્ટના દિવસે કરશે. સૌથી પહેલા ટ્વેન્ટી મેચો રમાશે ત્યારબાદ વનડે અને છેલ્લે ટેસ્ટ મેચો રમાશે. પ્રથમ ટેસ્ટ મેચ ૨૨મી ઓગસ્ટથી રમાશે જ્યારે બીજી ટેસ્ટ મેચ ૩૦મી ઓગસ્ટથી રમાશે. તમામ મેચોનું પ્રસારણ ભારતીય સમય મુજબ સાંજે થશે અને વહેલી પરોઢે મેચ પૂર્ણ થશે જેથી ચાહકોને મોડી રાત સુધી જાગવાની ફરજ પડશે. શ્રેણીનો વિસ્તૃત કાર્યક્રમ નીચે મુજબ છે.

*   ત્રીજી ઓગસ્ટ : ફ્લોરિડા લોન્ડરહિલમાં પ્રથમ ટ્વેન્ટી

*   ચોથી ઓગસ્ટ : ફ્લોરિડા લોન્ડરહિલમાં બીજી ટ્વેન્ટી

*   છઠ્ઠી ઓગસ્ટ : ગયાનામાં ત્રીજી ટ્વેન્ટી મેચ

*   ૮મી ઓગસ્ટ : ગયાનામાં પ્રથમ વનડે મેચ

*   ૧૧મી ઓગસ્ટ : ત્રિનિદાદમાં બીજી વનડે મેચ

*   ૧૪મી ઓગસ્ટ : ત્રિનિદાદમાં ત્રીજી વનડે મેચ

*   ૨૨-૨૬ ઓગસ્ટ : એન્ટીગુવામાં પ્રથમ ટેસ્ટ મેચ

*   ૩૦મી ઓગસ્ટથી : જમૈકામાં બીજી ટેસ્ટ મેચ

નોંધ : વનડે અને ટ્વેન્ટી મેચોનું પ્રસારણ રાત્રે સાત વાગ્યાથી ભારતીય સમય મુજબ કરાશે.

(9:44 am IST)