Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

અર્જુન પુરસ્કાર માટે થઈ મનિકા બત્રાની ભલામણ

કોમનવેલ્થ ગેમ્સમાં બે ગોલ્ડ સહિત ચાર મેડલ જીતનારી ટેબલ - ટેનિસ ખેલાડી મનીકા બત્રાનું નામ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા પ્રતિષ્ઠિત અર્જુન પુરસ્કાર માટે મોકલવામાં આવ્યુ છે.

એક અધિકારીએ કહ્યું હતું કે ગોલ્ડ કોસ્ટમાં આ પ્રકારના જોરદાર પ્રદર્શન બાદ સરકાર માટે તેની અવગણના કરવી મુશ્કેલ હશે. દિલ્હીની બાવીસ વર્ષની આ ખેલાડીએ વર્લ્ડ રેન્કીંગમાં ચોથા નંબરે રહેલી અને ત્રણ વખત ઓલિમ્પિકસ મેડલ જીતનારી સિંગાપોરની ખેલાડીને બે વખત હરાવી હતી. તે આ ટુર્નામેન્ટમાં ચાર મેડલ જીતનારી એકમાત્ર ભારતીય ખેલાડી છે. મનિકા ટીમ ઈવેન્ટ અને વિમેન્સ સિંગલ્સમાં ગોલ્ડ જીતવા ઉપરાંત વિમેન્સ ડબલ્સમાં સિલ્વર અને મિકસ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ જીતી હતી.

(12:16 pm IST)