Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

આ દિગ્ગ્જ ખેલાડી માટે રૈનાએ કહ્યું 'ભાઈ તું કહે તો, જીવ આપી દવ'

નવી દિલ્હી: આફ્રિકામાં ચાલી રહેલ ટી-20 સિરીઝના સૌથી દિગ્ગ્જ ખેલાડીને ટીમ ઇન્ડિયાની ફરી એકવાર જર્સી પહેરવાની તક મળી છે. છેલ્લા કેટલાક સમયથી સુરેશ રૈનાના બહાર હતો.જો કે હવે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં સુરેશે એક ન્યૂઝપેપર માં આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રાહુલ દ્રવિડ મારા માટે મોટા ભાઈ સમાન છે અને તેના માટે જીવ આપી તે તેમ છે. મારી મુસીબતના સમયમાં દ્રવિડે મારી ખુબ મદદ કરી છે જેને હું ભૂલી ન શકું અને તેમને મને હમેશા પ્રેરિત કર્યો છે.

એક વર્ષ પછી રૈનાની ટીમ ઇન્ડિયામાં પુર્નગમન થયું છે. છેલ્લીવાર રૈનાએ 1 ફેબ્રુઆરી 2017માં ઈંગ્લેંડ સામે ટી-20 મેચ રમી હતી. દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટી-20 મેચમાં રૈનાએ 20 રન બનાવ્યા હતા.

(5:16 pm IST)