Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

ટીમ ઇન્ડિયાને ઝટકો : ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા T-20 અને વન-ડે સીરીઝમાંથી શિખર ધવન બહાર

ખંભામાં ગંભીર ઈઝા થવાથી ટીમ ઈન્ડિયાના ઓપનર નહીં રમી શકે

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમ આગામી દિવસોમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે જઈ રહી છે, તે પહેલા ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને એક મોટો ઝટકો મળ્યો છે. ખંભામાં ગંભીર ઈઝા થવાથી ટીમ ઈન્ડિયાના ઓપનર ખેલાડી શિખર ધવન ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ રમવામાં આવનાર T-20 વન-ડે સીરીઝમાંથી બહાર નીકળી ગયા છે. ધવનને આ ઈજા ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમા રમવામાં આવેલ ત્રીજી વન-ડેમાં ફીલ્ડિંગ કરતા સમયે થઈ હતી. જો કે, તેમને તાત્કાલિક જ સ્કેન માટે હોસ્પીટલ લઈ જવામાં આવ્યા હતા, ત્યારે હવે સમાચાર મળ્યા છે કે, સ્કેનની રીપોર્ટ સારી ન હોવાથી શિખર ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર રમાનાર T-20 વન-ડે સીરિઝમાંથી બહાર નીકળી ગયા છે.

(1:53 pm IST)