Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

સુલતાન જોહોર કપમાં મનદીપને મળી ભારતીય કપ્તાનની જવાબદારી

નવી દિલ્હી: ડિફેન્ડર મનદીપ મોર 6-13 ઓક્ટોમ્બર સુધી મલેશિયાના જોહોર બાહરુમાં યોજાનાર આઠમી સુલતાન જોહોર કપ ટુર્નામેન્ટમાં 18 સભ્યોની ભારતીય જુનિયર ટીમની કપ્તાની સમ્ભાળશે.

હોકી ઇન્ડિયાએ ટીમની જાહેરાત કરતા ટીમના કેપ્ટ્ન માટેની જવાબદારી મનદીપને સોંપી છે અને ઉપક્પ્તાન શિલાનંદ લાકડાને બનાવ્યો છે. ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ મલેશિયા, ન્યુઝીલેન્ડ, જાપાન,ઓસ્ટ્રેલિયા અને બ્રિટેન સામે રમશે. ટોપ 2 ટીમોની ફાઇનલ મેચ 13 ઓટોમ્બરના રમાશે. ભારતની પહેલી મેચ 6 ઓટોમ્બરના છે.

(4:42 pm IST)