Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

આઈસીસીએ ઝિમ્બાબ્વેને સસ્પેન્ડ કરી દીધુ

ક્રિકેટના વહીવટી તંત્રમાં સરકારને દખલને દૂર કરવામાં નિષ્ફળ રહેતા કાર્યવાહી : તમામ ફંડ અટકાવી દીધાઃ ટી-૨૦ વર્લ્ડકપ કવોલીફાયરમાં પણ ભાગ નહિ લઈ શકે

નવીદિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)ની વાર્ષિક બેઠક મળી હતી જેમાં આઇસીસીએ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી નાખ્યું છે. આઇસીસીએ પોતાનો નિર્ણય પર કહ્યું કે ઝિમ્બાબ્વે ક્રિકેટ લોકતાંત્રિક રીતે નિષ્પક્ષ ચૂંટણી કરવવાનો માહોલ તૈયાર કરીને અને ક્રિકેટના વહીવટી તંત્રમાં સરકારને દખલને દૂર કરવામાં નિષ્ફળ રહી છે

આ સસ્પેન્શન બાદ હવે આઇસીસીની ફંડિંગ અટકી જશે અને તેની ટીમ આઇસીસીના કોઇ ઇેવેન્ટમાં ભાગ લઇ શકશે નહી. એટલું જ નહી, આ વર્ષે ઓકટોબરમાં મેન્સ ટી-૨૦ વર્લ્ડકપ કવાલિફાયરમાં ઝિમ્બામ્બેની ભાગીદારી પણ ખતરામાં પડી છે.

આઇસીસીએ કહ્યું કે ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડની ફરીથી ચૂંટણી થશે અને તેની પ્રગતિની સમીક્ષા ઓકટોબરમાં થનારી આગામી બોર્ડ મીટિંગમાં કરવામાં આવશે. નિર્ણય પર આઇસીસીના ચેરમેન શશાંક મનોહરે કહ્યું ''અમે કોઇપણ સભ્યને બેન કરવાના નિર્ણયને હળવામાં લેતા નથી, પરંતુ અમે અમારી રમતને રાજકીય હસ્તક્ષેપથી મુકત રાખવા માંગીએ છીએ. ઝિમ્બાબ્વેમાં જે થયું છે તે આઇસીસી સંવિધાનનું ગંભીર ઉલ્લંઘન છે અને અમે તેને અનિયંત્રિત રીતે ચાલુ રાખવાની પરવાનગી આપી ન શકે. આઇસીસી ઇચ્છે છે કે ઝિમ્બાબ્વેમાં ક્રિકેટ તેના સંવિધાનના અનુસાર ચાલુ રહે.''

અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિને ઝિમ્બાબ્વે સરકારના રમત અને મનોરંજન આયોગે ઝિમ્બામ્બે ક્રિકેટ અને તેના કાર્યવાહક મેનેજિંગ ડિરેકટર ગિવરમોર મકોનીને સસ્પેન્ડ કરી દીધા હતા. આઇસીસીએ ઝિમ્બાબ્વે સરકારના વધતા હસ્તક્ષેપને ગંભીરતાથી લીધા હતા.

(2:40 pm IST)