Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

અર્જુન તેંડુલકરને ટીમના અન્ય સભ્યોની જેમ જ ટ્રીટ કરાશે : કોચ સનથકુમાર

મુંબઈ : ભારતની અન્ડર-૧૯ ક્રિકેટ ટીમમાં અર્જુન તેંડુલકરને કોઈ વિશેષ ખેલાડી તરીકે નહીં, પણ ટીમના અન્ય સભ્યોની જેમ જ ગણવામાં આવશે. મારે મન ટીમના બધા છોકરાઓ સમાન છે, એવું ટીમના બોલિંગ કોચ સનથ કુમારે જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે . ભારતીય અન્ડર-૧૯ ક્રિકેટરોની ટીમ આવતા જુલાઈ મહિનામાં શ્રીલંકાના પ્રવાસે જવા સજ્જ થઈ રહી છે. ત્યાં તે ચાર-દિવસની બે મેચ રમશે.

(3:26 pm IST)