Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

રાહુલ દ્રવિડને બનાવો ભારતીય ટીમના કોચ : ટીમ ઈંડિયાના ભૂંડા પરાજય બાદ રવિ શાસ્ત્રી થયા ટ્રોલ

ભારતીય ટીમનો બીજો દાવ માત્ર 36 રને સમાપ્ત થતા ક્રિકેટ રસિકોમાં નારાજગી

મુંબઈ : ટીમ સ્ટ્રેલિયા સામેની શ્રેણીની પહેલા ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો બીજો દાવ માત્ર 36 રને સમાપ્ત થયો. ટીમ ઈન્ડિયાનો કોઈ પણ બેટ્સમેન દસના આંકડાને સ્પર્શી શક્યો નહીં. મયંક અગ્રવાલ પણ બીજી ઇનિંગમાં માત્ર 9 રન બનાવીને ટોચના સ્કોરર રહ્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યા હતા.વિરાટ કોહલીની અધ્યક્ષતાવાળી ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગ્સમાં 244 રન બનાવ્યા, ત્યારબાદ યજમાન ટીમ 191 રનમાં આઉટ થઈ ગઈ હતી. જો કે બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલરોએ બેટિંગ લાઇનને હલાવી દીધી હતી અને ઇનિંગ 36 રને સમાપ્ત થઈ હતી.

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે નિશાન બનાવ્યા હતા.તો કેટલાકએ તેની જૂની તસવીર પણ ટ્વિટ કરી હતી. કેટલાક તો એમ પણ કહેતા ગયા કે રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાનો કોચ બનાવવો જોઈએ.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ શ્રેણી રમાવાની છે. આ પહેલા ટીમ ઈન્ડિયાને-મેચની વનડે સિરીઝમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ટી -20 સિરીઝમાં તેણે 2-1થી જીત મેળવી હતી

(8:57 pm IST)