Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ઝિમ્બાબ્વેએ લાલચંદ રાજપૂતને બનાવ્યો ઈન્ટરીમ કોચ

૨૦૧૯ના વર્લ્ડકપ માટે કવલીફાય નહિં થનારી ઝિમ્બાબ્વેની ક્રિકેટ ટીમને ફરી ઉભી કરવા માટે ક્રિકેટ ઝીમ્બાબ્વેએ મુંબઈના લાલચંદ રાજપૂતને ઈન્ટરીમ કોચ તરીકે નિયુકત કર્યો છે. તે ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ બોલર હીથ સ્ટ્રીકની જગ્યા લેશે. ૨૦૦૭માં વર્લ્ડકપ જીતનારી ભારતીય ક્રિકેટ ટીમના કોચીંગ સ્ટાફમાં સામેલ લાલચંદ રાજપૂત આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો પણ કોચ રહી ચૂકયો છે. ટેસ્ટ ક્રિકેટનો દરજ્જો મેળવનારી અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમનો લાલચંદ રાજપૂત ૨૦૧૬માં કોચ હતો.

(2:38 pm IST)