Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

IPL 2018: આ સ્ટેડિયમમાં રમાશે કિંગ્સ ઇલેવન પંજાબના અંતિમ ચાર મેચ

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમયર લીગની સંચાલન સમિતિએ કિંગ્સ ઇલેવન પંજાબના ઘરેલુ મેચોમાં સ્થળોની અદલા બદલી કરી છે.જેમાં ટીમે પોતાની પહેલા ત્રણ મેચો મોહાલી અને અંતિમ ચાર મેચો ઇન્દોરમાં રમશે. નવી તારીખ મુજબ કિંગ્સ ઇલેવન ટીમ મોહાલીમાં 15,19 અને 23 એપ્રિલની મેચો રમશે. જયારે 4 ,6 ,12 અને 14 મેની મેચો ઇન્દોરમાં રમશે. આ નિર્ણય ચંદીગઢના એરપોર્ટનું રીનોવેશન કરવાનાને લઈને લેવામાં આવ્યો છે.અને તેથી મેચોની તારીખમાં અદલા બદલી કરવામાં આવી છે.

(5:57 pm IST)