Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

આઈસીસીની ટેસ્ટ અને વનડેની 'વર્લ્ડ ઇલેવન'માં ટીમ ઇન્ડિયાના પાંચ ખેલાડીઓને સ્થાન

વિરાટ કેપ્ટ્ન ;રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને વનડેમાં અને ચેતેશ્વર પુજારા અને રવિચંદ્રન અશ્વિનનો ટેસ્ટમાં સમાવેશ

 

નવી દિલ્હી :આઇસીસીએ જાહેર કરેલી ટેસ્ટ અને વનડેનીવર્લ્ડ ઇલેવનટીમમાં પાંચ ખેલાડીઓએ સ્થાન મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે આઈસીસી દર વર્ષે વર્લ્ડ ઇલેવન ટીમ જાહેર કરે છે, જેમાં વખતે વિરાટ કોહલીને આઇસીસીએ પોતાની વન-ડે અને ટેસ્ટ બંને ટીમનો કેપ્ટન બનાવીનેક્રિકેટર ઓફ યરજાહેર કર્યો છે.જયારે વિરાટ કોહલી ઉપરાંત રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને આઈસીસીની વનડે ટીમમાં સ્થાન મળ્યું છે જયારે ચેતેશ્વર પુજારા તથા રવિચંદ્રન અશ્વિનને આઈસીસીની ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે.

(11:21 pm IST)