Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

બીસીસીઆઈના એથિકસ ઓફીસર પાસેથી સૌરવ ગાંગુલીને મળી કિલનચીટ

કોનફિલકટ ઓફ ઈન્‍ટરેસ્‍ટનો આરોપ હતો

નવી દિલ્‍હી : ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસીડેન્‍ટ સૌરવ ગાંગુલીને ધ બોર્ડના પ્રેસીડેન્‍ટ ઓફ ક્રિકેટ ઈન ઈન્‍ડિયા (બીસીસીઆઈ)ના એથિકસ ઓફીસર ડી.કે. જૈન પાસેથી કલીનચીટ મળી ગઈ છે. ક્રિકેટ એસોસીસીએશન ઓફ બેંગાલના પ્રેસીડેન્‍ટ અને બીસીસીઆઈના પણ પ્રેસીડેન્‍ટ હોવાથી સૌરવ ગાંગુલી પર ‘કોનફિલકટ ઓફ ઈન્‍ટરેસ્‍ટ'નો આરોપ લાગ્‍યો હતો. જો કે ગાંગુલીએ બંગાળના ક્રિકેટ બોર્ડના સેક્રેટરી અભિષેક દાલમીયાને રીઝાઈન લેટર આપી દીધો હતો. આ લેટરને કારણે બીસીસીઆઈના એથિકસ ઓફીસર દ્વારા ગાંગુલીને કલીનચીટ આપી દેવામાં આવી છે.

(2:27 pm IST)