Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

તો ચેન્નઈનો ધોની નહીં, સેહવાગ કેપ્ટન હોત

ચેન્નઈ ટીમમાં રમી ચૂકેલા સુબ્રમણિયમ બદ્રિનાથને એક એવી વાત જણાવી હતી કે જેની બહુ જ ઓછા લોકોને ખબર હશે. બદ્રિનાથે કહ્યું હતું કે ચેન્નઈ ટીમના કેપ્ટન માટે ધોની નહીં, પણ વીરેન્દર સેહવાગ પહેલી પસંદ હતો. ચેન્નઈ એક માત્ર એવી ટીમ છે કે જેમણે અત્યાર સુધી તેમની ટીમનો કેપ્ટન બદલ્યો નથી. ધોની પણ ચેન્નઈને તેનું બીજું ઘર માને છે, પણ ૨૦૦૮માં પહેલી સીઝન પહેલાંના ઓકશન સમયની વાત કરતાં બદ્રિનાથે કહ્યું હતું કે ચેન્નઈ મેનેજમેન્ટે ઓકશન પહેલાંની તૈયારીમાં સેહવાગને ખરીદવાની રણનીતિ બનાવી હતી અને તેને જ ટીમના કેપ્ટન બનાવવા માગતા હતા, પણ સેહવાગ દિલ્હીમાં જ મોટો થયો હોવાથી તેમની સાથે વધારે કનેકટ થઈ શકશે અને તેની સાથે જોડાવાનો મત વ્યકત કર્યો અને દિલ્હી સાથે જોડાઈ ગયો હતો.

(3:26 pm IST)