Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

પરિસ્થિતિ વિરોધાભાસી, ધીરજથી ક્રિકેટ રમવાની જરૂર :ત્રીજા ટેસ્ટ માટે રવિ શાસ્ત્રીએ આપી સલાહ

ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ 18 ઓગસ્ટે ત્રીજી ટેસ્ટ મેચ રમશે. ત્યારે 5 પૈકીની 2 ટેસ્ટમાં નિષ્ફળતા બાદ ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ બેસ્ટમેનોને કહ્યુ કે, તેમને રમતમાં વધારે અનુશાસન અને ધૈર્ય દેખાડવાની જરૂરીયાત છે. રવિ શાસ્ત્રીએ જણાવ્યુ કે, માન્યુ કે પરિસ્થિતિ અમારા માટે વિરોધાભાસી છે પરંતુ આપણે ધીરજથી ક્રિકેટ રમવાની જરૂર છે.

(12:41 pm IST)