Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

લોર્ડ્સમાં બીજી ટેસ્ટમાં કુલદીપ યાદવને રમાડવો મોટી ભૂલ હતી : રવિ શાસ્ત્રી

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં કુલદીપ યાદવને અંતિમ ઇલેવનમાં રમાડવો ભૂલ હતી. શાસ્ત્રીએ ત્રીજી ટેસ્ટ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી. પરિસ્થિતિઓને જોતા અમે વધારે ફાસ્ટ બોલરને અંતિમ ઇલેવનમાં રમાડી શકતા હતા. તેનાથી અમને મદદ મળી હોત. ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ આજથી રમાશે.

(12:18 pm IST)