Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ધોનીની ફેમિલી પણ ઈચ્છે કે તે હવે રિટાયર થઈ જાય

બાળપણના કોચ કેશવ બેનરજીએ કર્યો ખુલાસો

નવી દિલ્હી : વન-ડેમાં હાઈએસ્ટ સ્ટમ્પિંગનો વર્લ્ડ રેકોર્ડ ધરાવનાર ભૂતપૂર્વ વર્લ્ડકપ વિનીંગ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને વર્લ્ડકપમાં એવરેજ પર્ફોર્મન્સને કારણે રીટાયર થવાની સલાહ પણ આપવામાં આવી રહી છે : એવામાં મહેન્દ્રસિંહ ધોનીના ચાઈલ્ડહૂડ કોચ કેશવ બેનરજીએ કહ્યું કે ધોનીના ઘરવાળા પણ ઈચ્છે છે કે તે હવે ક્રિકેટમાંથી રીટાયર થઈ જાય. કેશવ બેનરજી રાંચીમાં આવેલા ધોનીના જૂના ઘરમાં તેના માતા-પિતાને મળ્યા હતા. કેશવ બેનરજીના જણાવ્યા પ્રમાણે મીડીયા સહિત ધોનીના માતા-પિતા ઈચ્છે છે કે ધોનીએ હવે રીટાયર થઈ જવુ જોઈએ અને અમારા મતે કદાચ આ જ બરાબર છે. હવે અમે આટલી બધી સંપતિને સંભાળી નથી શકતા.

(1:12 pm IST)