Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

હાલની સ્થિતિમાં ટૂર મહદંશે સંભવ નથી

શ્રીલંકા ક્રિકેટ બોર્ડની અરજી પર બીસીસીઆઈનો જવાબ

નવી દિલ્હીઃ કોરોના વાયરસને લીધે વિશ્વભરનું ખેલજગત અટકી પડયું છે. એવામાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડને જુલાઈના મધ્યમગાળામાં યોજાનારી ટૂર રદ ન કરવાની અરજી કરી હતી. જેના જવાબમાં બીસીસીઆઈએ કહ્યું કે હાલની પરિસ્થિતિ જોતાં આ ટૂર યોજવી મહદંશે અસંભવ લાગી રહી છે.

જુલાઈ મહિનામાં ઈન્ડિયન ક્રિકેટ ટીમ શ્રીલંકા સાથે ત્રણ વન-ડે અને ત્રણ ટી-૨૦ મેચની સિરીઝ રમાવાની હતી, પણ કોરોનાને લીધે આ સિરીઝ યોજવી મુશ્કેલ લાગી રહ્યું છે.

(4:04 pm IST)