Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

ચેન્નઈએ ફિલ્ડીંગમાં સુધારો કરવાની જરૂર છે : સુરેશ રૈના

પ્લેઓફમાં પહોંચી ચૂકેલી ચેન્નાઈના અનુભવી ઓલરાઉન્ડર સુરેશ રૈનાનું માનવુ છે કે ટીમે ફિલ્ડીંગમાં સુધારો કરવો જરૂરી છે. ૩૧ વર્ષના સુરેશ રૈનાએ કહ્યું હતું કે બે વર્ષ બાદ કમબેક કર્યા પછી પણ અમારી ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. દરેક ખેલાડી તેની જવાબદારી સમજે છે. ટીમ એક ચેમ્પિયનની જેમ રમી રહી છે પણ અમોર ફિલ્ડીંગમાં સુધારો કરવાની જરૂર છે. અમારા કોચ અને કેપ્ટન પણ અમને આ માટે કહે છે. કેચ લેવાની સાથે અમારે વધોર રનઆઉટ કરવા પર પણ ધ્યાન આપવુ પડશે પ્લેઓફમાં પહોંચ્યા બાદ અમારે સતર્કતાથી રમવુ પડશે. આ ટુર્નામેન્ટમાં અસલી મજા તો હવે આવશે.

(4:21 pm IST)