Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

વર્લ્ડ કપના સ્ટેન્ડ- બાય ખેલાડીઓ

પંત, રાયુડુ અને નવદીપ સૈનીને જાહેર કરાયા

૧૫ મેમ્બરોની ભારતની વર્લ્ડ કપ ટીમમાં સિલેકટ ન થયેલા રિષભ પંત, અંબાતી રાયુડુ અને નવદીપ સૈનીને ભારતીય ક્રિકેટ ર્બોડે સ્ટેન્ડ-બાય ખેલાડીઓ એટલે કે સ્થાનાપન્ન ખેલાડીઓ જાહેર કર્યા હતા. વર્લ્ડ કપમાં જો કોઈ ખેલાડીને ઈજા થાય તો આ ત્રણમાંથી કોઈ ખેલાડીને જરૂર અનુસાર ઇંગ્લેન્ડની ફ્લાઇટ પકડવાનું કહેવામાં આવશે.

ભારતના લેજન્ડરી ક્રિકેટર સુનીલ ગાવસકરે પંતની અવગણનાને 'આશ્ચર્યજનક' ગણાવ્યું હતું અને ભારતના વધુ એક ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે અંબાતી રાયુડુની અવગણનાને ખોટું ગણાવ્યું હતું. ICC દરેક ટીમને ફાઇનલ ટીમ જાહેર કરવાનો મોકો આપશે એટલે ભારતીય ક્રિકેટ ર્બોડ પાસે ટીમમાં કોઈ ખેલાડી સામેલ કરવાની તક રહેશે. જોકે ર્બોડ આ ઓપ્શનનો ઉપયોગ કરે એની શકયતા ઓછી છે.

ખલીલ અહમદ, અવેશ ખાન અને દીપક ચહર ભારતની ટીમ સાથે નેટ બોલર તરીકે ઇંગ્લેન્ડમાં ટ્રાવેલ કરશે એટલે જો કોઈ બોલરને ઈજા થશે તો ર્બોડ આ ત્રણ ખેલાડીમાંથી કોઈને સિલેકટ નહીં કરી શકે. IPL પૂરી થયા પછી યો-યો ટેસ્ટ યોજાશે અને એમાં જો કોઈ ખેલાડી ફેલ થશે તો તે વર્લ્ડ કપ નહીં રમી શકે.

(3:45 pm IST)