Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

આ વૈશ્વિક બીમારીને પગલે ફોન પણ બંધ કરી દેવા જોઈએઃ બાઉચર

નવીદિલ્હીઃ ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન પ્લેયર અને હાલમાં સાઉથ આફ્રિકાના કોચની ફરજ બજાવી રહેલા માર્ક બાઉચરનું કહેવું છે કે કોરોના વાઈરસની આ વૈશ્વિક બીમારીને પગલે ફોન પણ બંધ કરી દેવા જોઈએ. આ વિશે વધુ જણાવતાં બાઉચરે કહ્યું કે 'આ વૈશ્વિક બીમારીમાં એક વસ્તુ ભુલાઈ રહી છે અને એ છે, સેલફોન શું થશે જો મોબાઈલ ફોન પણ બે અઠવાડિયાં માટે બંધ કરી દેવામાં આવે?'

માત્ર બાઉચરે જ નહીં, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પણ પોતપોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર કોરોનાથી બચવાના ઉપાય જણાવ્યા હતા અને પોતાના ચાહકોને સુરક્ષિત રહેવાની અપીલ કરી હતી. બાઉચરનો ઉદ્ેશ વધુ પડતી ખોટી માહિતી વોટ્સએપ દ્વારા ન ફેલાયએ હતો.

(3:55 pm IST)