Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

વિલીયમ્સનને ટેસ્ટ સિરીઝમાં રમાડવાનો હોય ટી-૨૦માં આરામ અપાયો

જયપુરઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમનો સુકાની કેન વિલિયમ્સન ભારત વિરૂદ્ધ રમાનારી ત્રણ ટી૨૦ મેચની શ્રેણીમાં રમવાનો નથી. વિલિયમ્સન ૨૫ નવેમ્બરથી શરૂ થનારી બે ટેસ્ટ મેચની શ્રેણી પર ધ્યાન કેન્દ્રીત કરવા ઈચ્છે છે જેથી તેણે ટી૨૦ શ્રેણીમાં નહીં રમવાનો નિર્ણય લીધો છે.

કેન વિલિયમ્સનની ગેરહાજરી ટિમ સાઉધી પ્રથમ ટી૨૦માં ટીમનું નેતૃત્વ કરશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે જણાવ્યું હતું કે, વિલિયમ્સન ટેસ્ટ સિરીઝ રમશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે અને હાલમાં તે તૈયારીઓમાં જોડાઈ પણ ગયો છે.

(3:14 pm IST)