Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ભારતને આગામી ટી-૨૦ વર્લ્ડકપ ઈશાન-સૂર્યકુમાર જીતાડી શકે છે : હરભજન સિંહ

મુંબઇ,તા.૧૭: હવે T20 વર્લ્ડ કપ ૨૦૨૨ ટૂર્નામેન્ટમાં માત્ર ૧૧ મહિના બાકી છે, તે પહેલા ટીમ ઈન્ડિયાની ટાઈટલ જીતને લઈને મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે. ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહ આ દિવસોમાં ઈંગ્લેન્ડમાં કોમેન્ટ્રી કરી રહ્યો છે. આ દરમિયાન તેણે T20 વર્લ્ડ કપ ૨૦૨૨ વિશે ભવિષ્યવાણી કરી છે. હરભજન સિંહે કહ્યું કે ટીમ ઈન્ડિયામાં હાલમાં ૨ એવા ખેલાડી છે, જે ભારત માટે T20 વર્લ્ડ કપ ૨૦૨૨નો ખિતાબ જીતી શકે છે

હરભજન સિંહના મતે તે બે ખેલાડીઓના નામ ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ છે. હરભજન સિંહે આ અંગે કહ્યું, ઁહું કેટલાક નવા ખેલાડીઓને અલગ ભૂમિકામાં જોવા માંગુ છું. હું ઇશાન કિશન જેવા ખેલાડીને નિયમિત રમતા જોવા માંગુ છું. તેમની પાસે ઘણી ક્ષમતા છે. તે આગામી T20 વર્લ્ડ કપ માટે મહત્વનો ખેલાડી હશે. મને લાગે છે કે તેને મહત્તમ તકો આપવી જોઈએ.

(3:13 pm IST)