Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ઇંગ્લેન્ડ સામે ત્રીજો વનડેમાં દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર અને શર્દૂલ ઠાકુરને સ્થાન

કે.એલ.રાહુલ, ઉમેશ યાદવ અને સિદ્ધાર્થ કૌલને ટીમની બહાર રાખ્યા

ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે  સીરિઝની ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજે આ મેચમાં કોહલીએ ટીમમાં ત્રણ ફેરફારો કર્યા છે. દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર અને શર્દૂલ ઠાકુરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે કે.એલ.રાહુલ, ઉમેશ યાદવ અને સિદ્ધાર્થ કૌલને ટીમની બહાર રાખવામાં આવ્યા છે.

(8:06 pm IST)