Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

કાઉન્ટી ગ્રાઉન્ડમાં ઈંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ ભારત-એની અંતિમ પ્રથમ શ્રેણીમાં મેચ રમશે મુરલી-રહાણે

નવી દિલ્હી: ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી શરુ થયા પહેલા ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન મુરલી વિજય અને ઉપકેપ્ટન અજિંક્યે રહાણે અહીંના કાઉન્ટી ગ્રાઉન્ડમાં ઈંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ ભારત-એની અંતિમ પ્રથમ શ્રેણીમાં મેચ રમશે. વિજય અને રહાણેએ છેલ્લે અફઘાનિસ્તાન સામે એકમાત્ર ટેસ્ટ રમી હતી અને તે વન-ડે ટીમમાં સામેલ નહતા. ઈંગ્લેન્ડ સામે એક ઓગસ્ટથી શરુ થનાર ટેસ્ટ શ્રેણી માટે ઈન્ડિયા-એની મેચ દરમિયાન કે તે બાદ ટીમની જાહેરાત થઈ શકે છે. કારણકે આનાથી કેટલાક ખેલાડીઓની ઉપલબ્ધતાની છબી સ્પષ્ટ થશે. રહાણે અને વિજયનું ભારતીય ટીમમાં સ્થાન નિશ્ચિત મનાઈ રહ્યુ છે. 

 

ત્યારે હવે પસંદગીકર્તાઓએ ભારત- ટીમના કોચ રાહુલ દ્રવીડની સલાહ સૂચન લીધા બાદ એક રણનીતિ બનાવી છે જે અંતર્ગત મુરલી વિજય અને અજિક્યે રહાણેની ઈન્ડિયા-એમાં રમાડવાનો નિર્ણય કરાયો છે. ઉપરાંત ચેતેશ્વર પુજારા અને ઈશાંત શર્માએ ઘણી કાઉન્ટી ક્રિકેટ રમી ચુક્યા છે. વિજય અને રહાણે એકલા બે ટોચના બેટ્સમેન છે જેમની પાસે અભ્યાસ મેચનો અનુભવ હાલ નહતો. જેથી તેમને હવે ઈન્ડિયા-એમાં રમાડવાનો નિર્ણય કરાયો છે. ઈંગ્લેન્ડના ગત પ્રવાસ (૨૦૧૪)માં વિજયે નોર્િંટઘમમાં રમાયેલ પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી, જ્યારે રહાણેએ લોર્ડસમાં સારી ઈનિંગ રમી હતી. 

(4:33 pm IST)