Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

ભારતે પાંચ સ્પેશ્યાલીસ્ટ બેટ્સમેનો રમાડવા જોઈએઃ જાડેજા સાતમાં સ્થાને પરફેકટ

ભૂતપૂર્વ બેટસમેન વી.વી.એસ. લક્ષ્મણે કહ્યું કે, ભારતે ન્યૂઝિલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પાંચ સ્પેશિયાલીસ્ટ બેટ્સમેનોની સાથે ઉતરવું જોઈએ. તેની સાથે જાડેજા અને અશ્વિનને પણ ટીમમાં સમાવવા જોઈએ. જાડેજાને સાતમા અને અશ્વિનને આઠમા ક્રમે ઉતારવાની વ્યુહરચના ઘડવી જોઈએ.

લક્ષ્મણે કહ્યું કે, ન્યૂઝિલેન્ડની બોલિંગ મજબુત છે, ત્યારે ભારતે પાંચ બેટસમેનોની બાદ છઠ્ઠા ક્રમે રિષભ પંતને ઉતારવો જોઈએ. જે પછી જાડેજા-અશ્વિનને બેટીંગ ક્રમ આપવો જોઈએ. જાડેજા અનુભવી બેટ્સમેન છે, જે તનાવભરી પરિસ્થિતિમાં મેચ વિનિંગ ઈનિંગ રમી શકે છે. જેના કારણે જાડેજા સાતમા ક્રમના બેટ્સમેન તરીકે પરફેકટ છે.

(4:04 pm IST)