Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

પાકિસ્તાન સામે પોતાને જીતની દાવેદાર ન સમજે ટીમ કોહલીઃ સૌરવ ગાંગૂલી

 

માન્ચેસ્ટરઃ ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડી સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરે કહ્યું છે કે  પાકિસ્તાન સામે વિશ્વકપ મુકાબલામાં ભારતે મેચ જીતવાના દાવેદાર તરીકે મેદાનમાં ન ઉતરવું જોઇએ પૂર્વ ભારતીય કેપ્ટન ગાંગૂલીએ કહ્યું હતુ કે ભારતીય ટીમ ર૦૧૭ ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં પાકિસ્તાનને નબળું આંકવાની ભૂલ કરી ચૂકી છે. ગાંગુલીએ  ઉમેર્યુ હતુ કે, ભારતીય ટીમે સાવધાન રહેવું પડશે. અને જીતના દાવેદાર સમજી લેવાની ભૂલ ન કરવી જોઇએ. સચિને પણ કહ્યું હતુ કે પાકિસ્તાની ટીમને હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઇએ. ઙ્ગ

(1:02 pm IST)