Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

રાયુડુનો સિલેકટરોને ટોણોઃ વર્લ્ડ કપ જોવા થ્રીડી ચશ્મા મગાવ્યા છે

વર્લ્ડ કપની ટીમની જાહેરાત વેળાએ સિલેકટરોએ ઓલરાઉન્ડર વિજય શંકરમાં થ્રી-ડાયમેન્શન્સ પ્રતિભા હોવાથી અંબાતી રાયુડુને સિલેકટ ન કર્યો હોવાનું જણાવ્યુ હતું. નિરાશ રાયુડુએ ટ્વીટ કર્યુ હતુ કે 'વર્લ્ડ કપની મેચો માણવા માટે હમણા જ થ્રીડી ચશ્માના નવા સેટનો ઓર્ડર આપ્યો છે.'

રાયુડુએ આ ટ્વીટ દ્વારા વિજય શંકરમાં સિલેકટરોને દેખાયેલી થ્રી-ડાયમેન્શન્સ પ્રતિભા બાબતે ટોણો માર્યો હોય એવું લાગી રહ્યું છે.

(4:00 pm IST)